Skip to main content

Posts

Showing posts from July, 2021

Plain region of Lower Gujarat | તળગુજરાતનાં મેદાની પ્રદેશ

તળગુજરાતનાં મેદાની પ્રદેશ → તળ ગુજરાતનાં મેદાની પ્રદેશોને ત્રણ ભાગમાં વહેચણી કરવામાં આવી છે. → ઉત્તર ગુજરાતનું મેદાન : Read / View મધ્ય ગુજરાતનું મેદાન : Read/ View દક્ષિણ ગુજરાતનું મેદાન : Read/ View

Plain region of Central Gujarat | મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ

મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ → મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે . → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે. → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે. → મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે. → મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) : Read / View શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન ) : Read / View નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કા

Plain of Kutch | કચ્છનું મેદાન

કચ્છનું મેદાન → કચ્છના મેદાનો તેના પ્રાદેશિક પ્રદેશના આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → કંઠીનું મેદાન વાગડનું મેદાન બન્નીનો પ્રદેશ → કંઠીનું મેદાન: કચ્છના દરિયાકિનારાનો વિસ્તાર કે જ્યાં મેદાનો પ્રદેશ આવેલો છે . તેનો આકાર ગળાની કંઠી જેવો હોવાથી આ મેદાન કંઠીના મેદાન તરીકે જાણીતું બન્યું છે. આ મેદાનમાં લેવામાં આવતાં મુખ્યત્વે પાકો ખારેક, ખજૂર, કેરી, કાજુ, બાજરી વગેરે → વાગડનું મેદાન : કચ્છના નાના રણ વિસ્તાર અને મોટા રણ વિસ્તાર વચ્ચેનો સમતલ ખેતી લાયક ભાગને વાગડનું મેદાન કહે છે. વાગડનું મેદાન એ બન્ની અને ખાવડા વચ્ચેનો ભૂમિભાગ છે. → બન્ની નો પ્રદેશ : કચ્છની ઉત્તરે કે જ્યાં મોટું રણ આવેલું છે ત્યાં ચોમાસામાં નદીઓના કાંપથી સારા એવા પ્રમાણમાં ઘાસ ઊગી નીકળે છે. તેને બન્નીનો પ્રદેશ કહે છે. બન્નીનો પ્રદેશ એ કચ્છના ઘાસના પ્રદેશ તરીકે ઓળખાય છે.

Depository grounds | નિક્ષેપણનાં મેદાનો

નિક્ષેપણનાં મેદાનો → ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની સાથે લાવેલો વહાણબોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે આમ નિક્ષેપણનાં મેદનોની રચના થાય છે. → નિક્ષેપણનાં મેદનોમાં ભારતમાં આવેલ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી નદીઓએ મુખ-ત્રિકોણ મેદાન બનાવેલો છે. → પંખાકાર મેદાન : નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડકટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. આવાં મેદાનના તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન કહે છે. → મુખ ત્રિકોણ મેદાન : નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગને કારણે તેના મુખ આગળ પુષ્કળ કાંપ ઠલવાતાં ત્યાં જે મેદાનનું નિર્માણ થાય છે તેને મુખ-ત્રિકોણ મેદાન અથવા ડેલ્ટાનું મેદાન કહે છે. → લોએસનું મેદાન : પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહનબોજ કોઈ અવરોધ આવતાં અથવા પવનો વેગ ધીમો પડતાં તેનું નિક્ષેપણ થવાના પરિણામે જે મેદાન બને છે તેને લોએસનું મેદાન કહે છે. → લોએસ મેદાનનું ઉત્તમ ઉદાહરણ ચીનમાં પીળી માટીનુ

Abrasive Grounds | ઘસારણના મેદાનો

ઘસારણના મેદાનો → આ મેદાનોનાં ધોવાણ અને ઘસારણનાં બળો જેવાં કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો ભાગ ભજવે છે. → ગતિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો, ઉચ્ચપ્રદેશો ઘસાઈને સમતલ બને છે. તેમાં પોચા ખડકો ઝડપથી ઘસાય છે. જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળે છે, આવાં મેદાનોને પેનિપ્લેઈન કહે છે. → સૂકા અને અલ્પ વૃષ્ટિ મેળવતા રણપ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણનાં મેદાનો આવેલા છે. → ઘસારણનાં મેદાનોનું ઉત્તમ ઉદાહરણ દિલ્લીની પશ્વિમે અરવલ્લી પ્રદેશ.

Coastal Plains | કિનારાના મેદાન

કિનારાના મેદાન → સમુદ્રકિનારાથી નજીક આવેલા મેદાનોને કિનારાના મેદાન કહે છે. → આ મેદનોના ઉદભવ ખંડિય છાજલીનો વિસ્તાર ઊંચકવાથી આવા મેદાન બન્યા છે. → ઘણી વાર આ મેદાનો ઘસારણ ના પરિણામે પણ બને છે . → આવાં મેદાનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટા ભાગે ખેતી માટે બિનઉપયોગી જોવા મળે છે. → કિનારનાં મેદાનોનું ઉત્તમ ઉદાહરણ ભારતમાં મલબારનો કિનારો.

Plains of Gujarat: Plains of Saurashtra | ગુજરાતનાં મેદાનો : સૌરાષ્ટ્રનાં મેદાની પ્રદેશ

સૌરાષ્ટ્રનાં મેદાની પ્રદેશ → સૌરાષ્ટ્રનાં મેદાનો ટ્રેપ ખડકોના ઘસારણથી બનેલા હોવાથી કાળી જમીનનાં ફળદ્રુપ મેદાનો આવેલા છે. → સૌરાષ્ટ્રનાં મેદાનો ભાદર અને શેત્રુંજય નદીના પ્રવાહથી બનેલા મેદાનો છે. → સૌરાષ્ટ્રનાં મેદાનોને તેના પ્રાદેશિક નામ આધારે સાત વિભાગ (હાલાર, ગોહિલવાડ, ઘેડ, દારૂકાવન, સોરઠ, ઝાલાવાડ, લીલી નાઘેર ) માં વિભાજિત કરવામાં આવે છે. → હાલાર : બરડા ડુંગરની દક્ષિણી-પશ્વિમ વિસ્તારના સમુદ્રકિનારા સુધી આવેલો વિસ્તાર કે જેમાં દેવભૂમિ-દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે. આ વિસ્તાર આઝાદી સમયે યુનાઈટેડ સ્ટેસ્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો. → ગોહિલવાડ : શેત્રુંજય નદી અને ઘેલો નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ (ભાવનગર) નો વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર દ્રોણમુખથી પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારનું નામ ગોહિલ વંશના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં દાડમ, જામફળ, ડુંગળી, જુવાર, જમાદાર કેરી માટે પ્રખ્યાત છે. → ઘેડ : માણાવદર (જુનાગઢ) થી લઈને પોરબંદરમાં આવેલ નવીબંદર સુધીના નીચાણવાળા વિસ્તારને ધેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વ

Plains of Gujarat: Plains of North Gujarat | ઉત્તર ગુજરાતનું મેદાન

ઉત્તર ગુજરાતનું મેદાન → ઉત્તર ગુજરાતનું મેદાન ગુજરાતના જિલ્લા બનાસકાંઠા,પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માં ફેલયેલું છે. → આ મેદાની વિસ્તાર ત્રણ કુંવારીકાઓ નદી બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલા છે. → આ મેદાનો ગ્રેનાઈટ અને વિકૃત ખડકોમાંથી છુટ્ટી પડેલી માટીમાંથી નિર્માણ પામ્યા છે. → આ વિસ્તારમાં આવેલી અરવલ્લી પર્વતમાળા ઉત્તર ગુજરાતને બે ભાગમાં વિભાજિત કરે છે. → એક ભાગમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણાનો અર્ધસુકો પ્રદેશ અને બીજા ભાગમાં સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાનો પ્રાદેશિક વિભાગનો સમાવેશ થાય છે. → બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્વિમ ભાગની જમીન રેતાળ જ્યારે સાબરકાંઠામાં કાળી જમીન ધરાવે છે. → આ મેદાની પ્રદેશમાં “ગોઢ” અને “વઢિયાર” પ્રદેશનો સમાવેશ થાય છે. → વઢિયાર પ્રદેશના કારણે અહીંની ભેંસ વઢિયારી ભેંસ તરીકે જાણીતી બની છે. → આ મેદાની પ્રદેશમાં ઓછો વરસાદ અને ઊંચું તાપમાન હોવાથી ઉનાળામાં રન જેવી પરિસ્થિતિનો અનુભવ થાય છે. → આ વિસ્તારમાં સપાટી પર પાણીનો જથ્થો ઓછો છે, પણ ભૂગર્ભજળ સારા પ્રમાણમાં જોવા મળે છે. → ગ

Plains of Gujarat: Plains of Vadodara formed by Narmada and Dhadhar (Kanam region) | નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ)

નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ) → નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે. → વડોદરાના ઉત્તર ભાગમાં રાતી જમીન અને દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે જે નર્મદા અને ઢાઢરના કાંપથી રચાયેલી છે. → આ વિસ્તારમાં કપાસની ખેતી વધુ પ્રમાણમા થાય છે. → કાનમના પ્રદેશનો વિસ્તાર ભરૂચ તથા વડોદરા જિલ્લામાં વિસ્તરેલો છે. → મધ્ય કાળી જમીન રેગુર તરીકે ઓળખાય છે. → આ પ્રદેશ કપાસના પ્રદેશ તરીકે જાણીતો બન્યો છે.

Plains of Gujarat: Plains of Viramgam | ગુજરાતનાં મેદાનો : વિરમગામનું મેદાન

વિરમગામનું મેદાન → ભાલ પ્રદેશના નીચા પ્રદેશની ઉત્તર ભાગમાં વિરમગામનું મેદાન આવેલું છે. → અમદાવાદ અને મહેસાણા જિલ્લાના આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. → આ મેદાની પ્રદેશ કાળી કપાસની જમીન અને મધ્યમ વરસાદના લીધે કપાસની ખેતી માટે અનુકૂળ છે. આથી તેને Viramgam Cotton Zone તરીકે પણ ઓળખવામાં આવે છે. → આ મેદાનના પૂર્વભાગની જમીન મરડિયાવાળી છે જે રૂપેણ નદીના કાંપથી રચાયેલ છે. → આ મેદાનને ફળદ્રુપ બનાવવાનો શ્રેય રૂપેણ નદીને જાય છે.

Plains of Gujarat: Plain between Shedhi and Mahi rivers | Charotar plain | ગુજરાતનાં મેદાનો : શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન |ચરોતરનું મેદાન

શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન) → મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતરનો પ્રદેશ તરીકે જાણીતો છે. → ચરોતરનો પ્રદેશ મુખ્યત્વે આણંદ અને ખેડા જીલ્લામાં આવેલો છે. → આ મેદાની પ્રદેશ મહી, શેઢી અને વાત્રક નદીના કાંપથી રચાયેલો છે. → મહી અને ઢાઢર અથવા તો ચરોતર અથવા કાનમ વચ્ચેનો પ્રદેશ વાકળનો પ્રદેશ તરીકે જાણીતો છે. → શેઢી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશને માળનો પ્રદેશ કહે છે. → મહી નદી દ્વારા આણંદ જીલ્લામાં ઊંડા કોતરોની રચના કરે છે. → આ પ્રદેશમાં લોએસ પ્રકારની બેસરની જમીન આવેલી છે. → ચરોતરનો પ્રદેશ એ ગુજરાતનાં સોનેરી મુલક તરીકે જાણીતો છે. → ખેતીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ છે જે તમાકુની ખેતી માટે જાણીતો છે. → આ વિસ્તારમાં કેળાં, પપૈયાં, ડાંગરનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.

Plains of Gujarat: Plains of Sabarmati river | ગુજરાતનાં મેદાન : સાબરમતી નદીનું મેદાન

સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) → આ મેદાન ચરોતર પ્રદેશની ઉત્તર- પશ્વિમમાં આવેલું છે. → સાબરમતી નદીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં રચાયેલા વિસ્તારને સાબરમતી નદીનું મેદાન કહે છે. → આ મેદાન સાબરમતી નદી અને તેની સહાયક નદીઓના નિક્ષેપણથી બનેલું છે. → આ વિસ્તારમાં ગોળ માથાવાળા માટીના ટેકરા જોવા મળે છે. → આ મેદાનમાં ધંધુંકા, ધોળકા, દસક્રોઈ અને મદાવાદ તાલુકાનાં વિસ્તારોમાં ગોળ માથાવાળી ટેકરીઓ ઉપરાંત થલતેજ અને જોધપુરના ગોળ માથાવાળા ટેકરા આવેલા છે. → આ મેદાન બે કાંઠામાં વિભાજિત થાય છે. → નળ કાંઠો : નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદનો પ્રદેશ નળ કાંઠા તરીકે જાણીતો છે. ભાલ કાંઠો /પ્રદેશ : નળ સરોવરની નીચેનો પ્રદેશ તથા અમદાવાદની દક્ષિણ-પશ્વિમ સુધીનો વિસ્તાર ભાલ કાંઠા તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં કાળી અને ચીકણી માટી આવેલી છે.

Plain region of South Gujarat | દક્ષિણ ગુજરાતનો મેદાની પ્રદેશ

દક્ષિણ ગુજરાતનો મેદાની પ્રદેશ → દક્ષિણ ગુજરાતનું મેદાન પુરના મેદાન તરીકે જાણીતું છે. → આ મેદાન ભરૂચ જિલ્લાના દક્ષિણ ભાગથી વલસાડ સુધી વિસ્તરેલું છે. → તાપી, પુર્ણા, અંબિકા, ઔરંગા, પાર , કોલક, દમણગંગા જેવી નદીઓના નિક્ષેપણથી આ મેદાન રચાયેલું છે. આ નદીઓમાં ચોમાસા દરમિયાન પૂર આવે છે. જે ઘોડાપૂર તરીકે ઓળખાય છે. → દક્ષિણ ગુજરાતની નદીઓના વહેણની ઝડપ વધુ હોવાથી તે નિક્ષેપણની સાથે સાથે ધોવાણ કરે છે. આથી આ મેદાન મધ્ય ગુજરાત જેટલું ફળદ્રુપ નથી. લાટનો પ્રદેશ : → નર્મદા નદીનો દક્ષિણનો ભાગ કે જ્યાં અંબિકા, કોલક, કીમ અને તાપી નદી વહે છે. આ નદીના પ્રવાહથી રચાતા પ્રદેશને લાટનો પ્રદેશ કહે છે. → અનુમૈત્રકકાળ ઉપરાંત રાષ્ટ્રકૂટોના સમયમાં આ પ્રદેશ લાટ તરીકે જાણીતો હતો. → ટોલમી નામના વિદેશી પ્રવાસીએ આ પ્રદેશને લાટિકા નામ આપ્યું હતું. દંડકારણ્ય પ્રદેશ : → રામાયણના સમયમાં ડાંગનો પ્રદેશ દંડકારણ્ય તરીકે જાણીતો હતો. અહીં શબરીના એઠા બોર રામે ખાધા હતા એવી લોકકથા છે. ખારોપાટ : →દરિયા કિનારાની ઝીણી રેતી તથા ક્ષારયુક્ત, કાદવ કીચડવાળા મેદની ભાગને ખારોપાટ કહે છે.

Ghanshyam Oza | મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા

Nagindas Sanghavi | નગીનદાસ સંઘવી

Digish Maheta | દિગીશ મહેતા

Baheramji Malbari | બહેરામજી મલબારી

Malala Day | મલાલા દિવસ

Bachubhai Ravat | બચુભાઈ રાવત

National Fish Farmers Day | રાષ્ટ્રીય કિસાન મત્સ્ય દિવસ

→ "રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ" દર વર્ષે 10 જુલાઇ ના રોજ ઉજવવામાં આવે છે. → NFDB (National Fisheries Development Board) દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. → હેતુ : સ્થાયી સ્ટોક ટકાઉ અને તંદુરસ્ત ઇકોસિસ્ટમ્સ સુનિશ્વિત કરવા માટે → દેશના માછીમારીના સંસાધનોનું સંચાલન કરવાની રીતને બદલવા ધ્યાન આકર્ષિત કરવાનો છે. → આ દિવસ ડો. કે. એચ. અલીકુન્હી અને એચ.એલ. ચૌધરીની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.

ગણવેશ સહાય યોજના

ગણવેશ સહાય યોજના → ધોરણ 1 થી 8 માં ભણતાં વિદ્યાર્થીઓને → આવક મર્યાદા કોઈ નક્કી કરવામાં આવી નથી. → ત્રણ જોડ ગણવેશ → વાર્ષિક સહાય :રૂપિયા 600

મહિલા શિવણ વર્ગો

મહિલા શિવણ વર્ગો → વાર્ષિક આવક મર્યાદા : → ગ્રામ્ય વિસ્તાર માટે : રૂપિયા 120000 → શહેરી વિસ્તાર માટે : રૂપિયા 150000 → તાલીમાર્થી વિકસિત જાતિ લઘુમતી કે વિચરતી વિમુક્ત જાતિ હોવો જોઈએ. → સ્ટાઇપેન્ડ માસિક રૂપિયા 250 → સિલાઈ મશીન ખરીદવા સહાય રૂપિયા 6000 →શિવણ કોર્ષનો સ્મયગાળો : 6 માસ → વિચારતી અને વિમુક્ત જાતિના લાભાર્થીને માસિક રૂપિયા 350 → સિલાઈ મશીન ખરીદવા સહાય રૂપિયા 2500

IAS અને IPS તાલીમ માટે વૃતિકા

IAS અને IPS તાલીમ માટે વૃતિકા → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના યુવક અને યુવતીઓ આર્થિક પછાત વર્ગના કન્યાઓને UPSC ની સ્પર્ધાત્મ્ક પરીક્ષા પાસ કરી નિકારી મેળવી ઉત્તમ કારકિર્દી બનાવી શકે તેવા હેતુ 2014 -15 થી UPSC માં ભરતી પરીક્ષાના દરેક તબક્કે પ્રોત્સાહન સહાયની યોજના અમલમાં મુકેલ છે. → વિદ્યાર્થી માટે પ્રિલિમ પરીક્ષા પાસ કર્યેથી : રૂપિયા 50000 મેઈન્સ પરીક્ષા પાસ કર્યેથી : રૂપિયા 25000 → વિદ્યાર્થીનીઓ માટે પ્રિલિમ પરીક્ષા પાસ કર્યેથી : રૂપિયા 60000 મેઈન્સ પરીક્ષા પાસ કર્યેથી : રૂપિયા 30000

વિદેશમાં અભ્યાસ અર્થે લોન

વિદેશમાં અભ્યાસ અર્થે લોન →વિદેશમાં અભ્યાસ માટે મહત્તમ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન આપવામ આવશે → ધોરણ 12 પાકી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે → સ્નાતક પછી અનુસ્નાતક અભ્યાસક્રમ માટે → ધોરણ 12 પછી વિદેશમાં જતાં વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 માં ઓછામાં ઓછા 65 % કે તેથી વધુ ગુણ . → ધોરણ 12 પછી વિદેશમાં જતાં અતિ પછાત વર્ગ વિદ્યાર્થીઓ માટે 55 % . → સ્નાતક પછી વિદેશમાં જતાં વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા 60 % કે તેથી વધુ ગુણ → સ્નાતક પછી વિદેશમાં જતાં અતિ પછાત વર્ગ વિદ્યાર્થીઓ માટે 50 % → વ્યાજનો દર : 4% લેખે સાદું વ્યાજ વાર્ષિક

કોમર્શિયલ પાયલોટની તાલીમ અને નાણાંકીય લોન

કોમર્શિયલ પાયલોટની તાલીમ અને નાણાંકીય લોન → સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે → લોન કેટલી મળે? :રૂપિયા : 250000 → વ્યાજનો દર : વાર્ષિક 4 % લેખે સાદું વ્યાજ નિયમિત લોન/ વ્યાજ ભરવામાં આવે છે. દંડનિય વ્યાજ દર : 2.5 %

M.Phil અને Phd ના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ

M.Phil અને Phd ના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ → વાર્ષિક આવક મર્યાદા : → ગ્રામ્ય વિસ્તાર માટે : રૂપિયા 120000 → શહેરી વિસ્તાર માટે : રૂપિયા 150000 → મળવા પાત્ર શિષ્યવૃત્તિ → M.Phil ના અભ્યાસક્રમ માટે : રૂપિયા 25000 → Phd ના અભ્યાસક્રમ માટે : રૂપિયા 30000

મેડિકલ અને એંજિનિયરીગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બુક બેન્ક યોજના

મેડિકલ અને એંજિનિયરીગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બુક બેન્ક યોજના → આવક મર્યાદા કોઈ નક્કી કરવામાં આવી નથી. → ગુજરાત રાજયમાં 5 બુક બેન્ક આવેલી છે. → 10 % ડિપોજીટ લઈને પુસ્તક આપવામાં આવે છે. → પુસ્તકો પરત કર્યેથી મળતી ડિપોજીટ : 5 %

મેડિકલ અને એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભોજન બિલમાં રાહત

મેડિકલ અને એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભોજન બિલમાં રાહત → આ યોજનનો લાભ મેડિકલ અને એંજિનિયરીગ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને કોલેજ દ્વારા સંચાલન કરતાં છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને. → વાર્ષિક આવક મર્યાદા : રૂપિયા 450000 → સહાય : માસિક રૂપિયા 1200 જે 10 મહિના સુધી ભોજન બિલમાં રાહત આપવામાં આવે છે. મેડિકલ અને એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સાધન સહાય યોજના → વિદ્યાર્થી મેડિકલ અને એંજિનિયરીગમાં અભ્યાસ કરતા હોવો જોઈએ → આવક મર્યાદા : રૂપિયા 250000 અભ્યાસ સહાય (રૂપિયા) મેડિકલ 10000 એન્જીનિયરીંગ 5000 ડિપ્લોમાં 3000

સ્વામી વિવેકાનંદ યોજના

સ્વામી વિવેકાનંદ યોજના → તકનીકી અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ → વાર્ષિક આવક મર્યાદા : → ગ્રામ્ય વિસ્તાર માટે : રૂપિયા 120000 → શહેરી વિસ્તાર માટે : રૂપિયા 150000 → મળવા પાત્ર શિષ્યવૃત્તિ → સરકારી ITI માટે માસિક રૂપિયા 400

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને NIIT, JEE, GUJCET, PMT ની પરીક્ષાની માટે કોચિંગ

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને NIIT, JEE, GUJCET, PMT ની પરીક્ષાની માટે કોચિંગ → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહના સારા ગુણ સાથેપાસ થયેલ વિદ્યાર્થીઓને મેડીકલ, એન્જીનિયરીંગના પ્રવેશ માટેની વિદ્યાર્થીઓને NIIT, JEE ,GUJCAT, PMT ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ પેટે સહાય આપવા માટેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના → ધોરણ -૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા તેમજ ૮૦ ટકાથી વધુ ગુણ મેળવેલહોય તેવા આર્થિક રીતે પછાતવર્ગની કન્‍યાઓ કે જેમનાં પિતા/વાલીઓની વાર્ષિક આવક રૂ.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને તા. ૦૬/૦૮/૨૦૧૪ અને તા. ૨૯/૧૦/૨૦૧૪ ના સરકારશ્રીના ઠરાવની જોગવાઇને આધિન વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦/- કોચીંગ સહાય આપવાની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ થી અમલમાં મૂકેલ છે. → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે આવક મર્યાદા નથી. → આર્થિક રીતે પછાત વર્ગ ની કન્‍યાઓ માટે આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ છે.

ધોરણ 11 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય

ધોરણ 11 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી → ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય → ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય → તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ → વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમમા આવનારને વિદ્યાર્થીઓ માટે ઇનામી યોજના

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમમા આવનારને વિદ્યાર્થીઓ માટે ઇનામી યોજના રાજય કક્ષાએ પ્રોત્સાહક ઈનામ ક્રમાંક રાજયમાં પ્રોત્સાહક ઈનામ સહાય (રૂપિયા) પ્રથમ 31000 દ્વિતીય 21000 તૃતીય 11000 જિલ્લા કક્ષાએ પ્રોત્સાહક ઈનામ ક્રમાંક જીલ્લામાં પ્રોત્સાહક ઈનામ સહાય (રૂપિયા) પ્રથમ 6000 દ્વિતીય 5000 તૃતીય 4000

ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને ધોરણ 12 ના અભ્યાસક્રમો માટે શિષ્યવૃતિ

ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને ધોરણ 12 ના અભ્યાસક્રમો માટે શિષ્યવૃતિ → આર્થિક અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે →વાર્ષિક આવક મર્યાદા : → ગ્રામ્ય વિસ્તાર માટે : રૂપિયા 120000 → શહેરી વિસ્તાર માટે : રૂપિયા 150000 → મળવા પાત્ર શિષ્યવૃત્તિ વાર્ષિક અભ્યાસ શિષ્યવૃત્તિ (રૂપિયા) ધોરણ : 11 300 ધોરણ : 12 600

વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્‍ટ પૂલ યોજના

વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્‍ટ પૂલ યોજના → "ટેલેન્ટ પુલનું નિર્માણ" ની યોજના અંતર્ગત ૫૦ મેઘાવી (મેરીટોરીયર્સ) વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે અને તેઓ પુરા આત્મવિશ્વાસથી ઉભા રહી શકે તેવા બનાવવાના મૂળ આશયથી "ટેલેન્ટ પુલનું નિર્માણ" કરવાની યોજના અમલમાં મૂકી છે. → વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી અમલમાં મૂકવામાં આવી છે. → વિદ્યાર્થી દીઠ રૂપિયા 40000 ની સહાય →શરતો ધોરણ ૫/ ધોરણ ૧૦ માં પ્રથમ કે બીજા વર્ગમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી મેરીટમાં આવનાર ૫૦ વિદ્યાર્થીઓને ઉત્તમ આવાસીય સુવિધા અને શિક્ષણમાં નામાંકિત પસંદ થયેલી શાળામાં અનુક્રમે ધોરણ ૬ અને ધોરણ ૧૧ માં વાર્ષિક આવક રૂ ૨.૦૦ લાખ સુધી વિદ્યાર્થી દીઠ રૂ ૪૦,૦૦૦/- ની શૈક્ષણિક સહાય અને વાર્ષિક આવક રૂ ૨.૦૦ લાખ સુધી ૧૦૦% થી રૂ. ૩.૦૦ લાખ સુધી સહાયના ૫૦ ટકા મુજબ વિદ્યાર્થી દીઠ ની શૈક

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ 9 માં મફત સાઈકલ આપવામાં આવે છે. → અનુસુચિત જાતિ માટે સાઈકલ યોજના : સરસ્વતી સાધના યોજના → અનુસુચિત જન જાતિ સાઈકલ યોજના માટે : વિદ્યા સાધના યોજના આવક મર્યાદા → ગ્રામ્ય વિસ્તારમાં : રૂપિયા 120000 → શહેરી વિસ્તારમાં : રૂપિયા 150000

Gujarat Pre SSC Scholarship Scheme | પ્રિ.એસ. એસ. સી. શિષ્યવૃતિ યોજના

પ્રિ.એસ. એસ. સી. શિષ્યવૃતિ યોજના (વિચરતી વિમુક્ત) પ્રિ.એસ. એસ. સી. શિષ્યવૃતિ યોજના (વિચરતી વિમુક્ત) → ધોરણ 1 થી 8 માં કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી. → ધોરણ 9 અને ધોરણ 10 માં ભણતાં વિદ્યાર્થીઑ માટે આવક મર્યાદા નીચે મુજબની હોય છે . →ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 120000 → શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000 ધોરણ શિષ્યવૃતિનો વાર્ષિક દર ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ રૂપિયા 500 ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ રૂપિયા 750 ધોરણ 5 ની કન્યાઓ રૂપિયા 500 ધોરણ 6 થી 10 કન્યાઓ રૂપિયા 750